કોને લાભ મળે?
• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)
શું લાભ મળે?
1. (AGR-૨) યોજનામાં સામાન્ય ખેડૂતો માટે દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
• ખરીદકિમતના ૫૦% અથવા રૂ.૪૫૦૦/- બે માંથી જે ઓછું હોય તી, ખાતાદીઠ વધુમાં વધુ બે હેક્ટર રૂ.૯૦૦૦/- ની મર્યાદામાં સહાય માલ શકે.
2. (AGR-૪) યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
• ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૬૭૫૦/- બે માંથી જે ઓછું હોય ટે, ખાતાદીઠ વધુમાં વધુ બે હેક્ટર રૂ.૧૩,૫૦૦/- ની મર્યાદામાં સહાય મળી શકે.
3. NFSM (OS&OP) અને NFSM (Pulses) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
• ખરીદ કિમતના ૭૫% અથવા રૂ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે (HDPE પાઈપ માટે રૂ.૫૦/-મી., PVC પાઈપ માટે રૂ.૩૫/-મી., અને HDPE લેમીનેટેડ વુવન પાઈપ માટે રૂ.૨૦/-મી.).
અરજી સાથે જરૂરી પુરાવાઓ
• અરજી કરેલ હોય તેની નકલ
• જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
• જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
• બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
• આધારકાર્ડ ની નકલ
(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)
અરજી ક્યાં કરવી?
ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવા લિંક
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
0 Comments