Ad Code

Ticker

6/recent/ticker-posts

ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

વીમા રક્ષણ આપવાની યોજના


કોને લાભ મળે?

 • ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોકે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે ૮-અ, ૭/૧૨ અને હક્ક પત્રક-૬ના નમૂનામાં જેમના નામે જમીન હોય તેવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદારને.

 • ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાન વારસદાર તેમજ પતિ-પત્નીને લાભ મળશે.


કેટલો લાભ મળે?

 • રૂ.૨,૦૦,૦૦૦ (બે લાખ પૂરાનું) મૃત્યુ માટે વીમા રક્ષણ.

 • રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ પૂરાનું) અપંગતા માટે વીમા રક્ષણ.


સાધનિક (જરૂરી)પુરાવાઓ

 • ૭/૧૨, ૮-અ ના ઉતારા.

 • અસલ પેઢીનામું.

 • મૃત્યુનું/અપંગતા પ્રમાણપત્ર.

 • જન્મનું પ્રમાણપત્ર.

 • એફ.આઈ.આર.(F.I.R) પાંચનામું, ઇન્ક્વેસ્ટ પંચનામું, પી.એમ.નોટ

 • ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ.

 • બેંક પાસબુકની નકલ.

 • આધારકાર્ડની નકલ 

 • ડ્રાઈવિંગ લાયસન્સ.

 • અરજદારનો ફોટોગ્રાફ.


અરજી ક્યાં કરવી?

 • મદદનીશ ખેતી નિયામક(વિ.) પેટા વિભાગ / વિસ્તરણ અધિકારી (ખેતી)

નોંધ: આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે.

Post a Comment

0 Comments