Ad Code

Ticker

6/recent/ticker-posts

અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના


યોજનાનો હેતુ

 • અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.૧,૦૦,૦૦૦ અને વધુમાં વધુ ૨ એકર માટે રૂ.૨,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.


નિયમો અને શરતો

 • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે.

 • સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે.

 • કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવાપાત્ર છે.

 • સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી ૧૫ વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે .

 • લાભ મેળવનાર લાભાર્થી ખેતમજૂર હોવા જરૂરી છે.


રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

 • અરજદારનું આધાર કાર્ડ

 • સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવા આવેલ જાતિનું પ્રમાણપત્ર

 • ખેડૂત /ખેતમજુર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો

 • આવકનો દાખલો

 • બાનાખતની ખરી નકલ

 • જમીન વેચવા અંગેની મહેસૂલ (રેવન્યુ) ખાતાની પરવાનગી ની ખરી નકલ

 • જમીનના ૭/૧૨ તથા ૮(અ) ઉતારા

 • જમીન હોય એનું ૭/૧૨ / ૮(અ) / તલાટિકમ મંત્રી નો દાખલો

 • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)


ક્યાં અરજી કરવી?

 • જીલ્લા નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી.

અથવા

 • ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in/ પર થી કરી શકાશે.


ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંક

https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/LFAViewApplicantDetails.pdf

Post a Comment

0 Comments