કોને લાભ મળે?
• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)
શું લાભ મળે?
1. (AGR-૨) યોજનામાં સામાન્ય ખેડૂતો માટે તથા (AGR-૪) યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
• ૧૧૦ મીમી × ૨૦૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૪,૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે,
• ૧૪૦ મીમી × ૧૫૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૦,૭૦૦/- બે માંથી જે ઓછું હોય તે,
• ૧૧૦ મીમી × ૧૫૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૦,૭૦૦/- બે માંથી જે ઓછું હોય તે,
• ૯૦ મીમી × ૧૫૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૮૪૦૦/- બે માંથી જે ઓછું હોય તે,
• ૧૪૦ મીમી × ૨૦૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૪,૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે અને
• ૯૦ મીમી × ૨૦૦ મીટર પાઈપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા રૂ.૧૧,૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે.
અરજી સાથે જરૂરી પુરાવાઓ
• અરજી કરેલ હોય તેની નકલ
• જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
• જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
• બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
• આધારકાર્ડ ની નકલ
(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)
અરજી ક્યાં કરવી?
ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
0 Comments