Ad Code

Ticker

6/recent/ticker-posts

ઘટક - ‘પાવર સંચાલિત સ્પ્રેયર’ સહાય યોજના

ઘટક - ‘પાવર સંચાલિત સ્પ્રેયર’ સહાય યોજના


કોને લાભ મળે?

 • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)


શું લાભ મળે?

 1. (AGR-2) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

 • ખરીદ કિમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે, ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ.


 • (AGR-4) યોજનામાં અનુસુચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

 • ખરીદ કિમતના ૭૫% અથવા રૂ. ૪૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે, ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ.


 2. NFSM (OS&OP) અને NFSM (Pulses) યોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.

 • સામાન્ય ખેડૂત માટે ખરીદ કિમતના ૪૦% અથવા રૂ.૩૦૦૦/-  બે માંથી જે ઓછું હોય તે અને SC/ST/નાના/સીમાંત/મહિલા ખેડૂત માટે ૧૦% વધુ રૂ.૩૮૦૦/- ની મર્યાદામાં ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ (૧૬ લી. થી ઓછા) સામાન્ય ખેડૂત માટે ખરીદ કિમતના ૪૦% અથવા રૂ.૮૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે અને SC/ST/નાના/સીમાંત/મહિલા ખેડૂત માટે ખરીદ કિમતના ૧૦% અથવા રૂ.૧૦,૦૦૦/- ન મર્યાદામાં ખાતાદીઠ વધુમાં વધુ એક નંગ (૧૬ લી. થી મોટા)


અરજી સાથે જરૂરી પુરાવાઓ

 • અરજી કરેલ હોય તેની નકલ

 • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)

 • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો

 • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક

 • આધારકાર્ડ ની નકલ

(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)


અરજી ક્યાં કરવી?

ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ઓનલાઈન અરજી કરવા લિંક

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

Post a Comment

0 Comments